“સાત યાત્રા ની સાથે-સાથે”

“શત્રુંજય ગિરિરાજ ની ચૌવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા.”

શ્રદ્ધા સંસ્કાર પરિવારની સફળતાના શિખર પર કળશ અને પતાકાનું કાર્ય કર્યું છે “શત્રુંજય ગિરિરાજ ની ચૌવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા.” એ….પરિવાર દ્વારા પ્રથમ વખત પ.પૂ.આ.ભ.રત્નચંદ્નસુરીશ્વરજી મ.સા. ની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું. જેની સફળતા જોતાં પૂજ્યશ્રી દ્વારા એવી ભાવના વ્યક્ત કરવામાં આવી કે આ આયોજન દર વર્ષે પરિવાર દ્વારા કરવામાં આવે અને ગુરુદેવનાં આશિષ થી આ કાર્ય સતત છ-છ વર્ષથી ચાલી રહ્યું છે. અને આ કાર્ય દ્વારા પરિવાર વિસ્તાર પામી અમદાવાદ-વડોદરા-સુરેન્દ્રનગર-આકોલા – પૂના – બેંગ્લોર- મુંબઈ સુધી પહોંચ્યો.

યાત્રાળુ અત્તર વાયણાં

યાત્રા કરતા યાત્રાળુઓ

પરિવાર દ્વારા કરાવવામાં આવતી ચૌવિહાર છઠ્ઠ કરી “સાત-યાત્રા ની સફળતામાં પરિવારનાં સિદ્ધાંતોની સાથે-સાથે ચુસ્ત-અનુશાસન, જિનાજ્ઞાની પ્રતિબદ્ધતા અને શાસન પ્રત્યેની વફાદારી.” પણ સતત રહી. પરિવાર દ્વારા યાત્રિકોનો ભાવોલ્લાસ વધે તેમજ યાત્રા પ્રત્યે જાગૃતતા આવે તે માટે યાત્રા પૂર્વે યાત્રિક-મિલન સમારોહ તથા શત્રુંજય ગિરિરાજ ભાવયાત્રાનું અમદાવાદ મુકામે આયોજન કરવામાં આવે છે. પરિવારનાં ૨૫૦ થી વધુ સ્વયં-સેવકોની કાર્ય નિષ્ઠા યાત્રિકોમાં વધુ જોમ પુરવાનું કાર્ય કરે છે. તપસ્વીઓની સેવા નિઃસ્વાર્થ ભાવે કરતા સાત-સાત ડોક્ટર્સ ની ટીમ પરિવારનું મુખ્ય અંગ છે.

યાત્રા કરાવનાર લાભાર્થી પરિવારો દ્વારા પ્રભુજીને શ્રી સાચા સુમતિનાથ, શ્રી તળેટી, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી પુંડરિક સ્વામી, શ્રી રાયણ પગલાં, શ્રી આદિનાથ ભગવાન અને શ્રી ઘેટી નાં પાયે ઉપકરણ – છાબ અર્પણ કરવામાં આવે છે. લાભાર્થી પરિવાર તરફથી સુવર્ણ મુદ્રા તેમજ દરેક યાંત્રિક દ્વારા દાદા નાં દરબારે રજત મુદ્રા અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ ભવ્ય સન્માન સમારોહનું આયોજન પાલીતાણામાં જ કરવામાં આવે છે. દરેક યાત્રિકને રજત મુદ્રા- પ્રભાવના દ્વારા બહુમાન કરવામાં આવે છે.

યાત્રાળુ ની વૈયાવચ્ચ કરતા સ્વયંસેવકો

યાત્રાળુ પારણાં

પરિવાર દ્વારા કરાવવામાં આવતી ચૌવિહાર છઠ્ઠ કરી “સાત-યાત્રા ની સફળતામાં પરિવારનાં સિદ્ધાંતોની સાથે-સાથે ચુસ્ત-અનુશાસન, જિનાજ્ઞાની પ્રતિબદ્ધતા અને શાસન પ્રત્યેની વફાદારી.” પણ સતત રહી. પરિવાર દ્વારા યાત્રિકોનો ભાવોલ્લાસ વધે તેમજ યાત્રા પ્રત્યે જાગૃતતા આવે તે માટે યાત્રા પૂર્વે યાત્રિક-મિલન સમારોહ તથા શત્રુંજય ગિરિરાજ ભાવયાત્રાનું અમદાવાદ મુકામે આયોજન કરવામાં આવે છે. પરિવારનાં ૨૫૦ થી વધુ સ્વયં-સેવકોની કાર્ય નિષ્ઠા યાત્રિકોમાં વધુ જોમ પુરવાનું કાર્ય કરે છે. તપસ્વીઓની સેવા નિઃસ્વાર્થ ભાવે કરતા સાત-સાત ડોક્ટર્સ ની ટીમ પરિવારનું મુખ્ય અંગ છે.

કાર્યકર્તા- ડોક્ટરોનું પણ રજતમુદ્રા-પ્રભાવના દ્વારા બહુમાન કરવામાં આવે છે. તથા લાભાર્થી પરિવારનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવે છે. સેવકો માટે પણ પ્રભાવનાનું આયોજન કરવામાં આવે છે. દાદા આદિનાથની કૃપા અને ગુરુદેવની અમી દ્રષ્ટિ પરિવાર ઉપર સતત વરસતી હોય જ છે. જેથી તપસ્વીઓ માંથી જ કોઈક ને કોઈક પરિવાર આગામી ચૌવિહાર છટ્ઠ આયોજનમાં લાભાર્થી બની જાય છે. જે આટલા વર્ષોથી અતૂટ પરંપરા છે. તદ્ઉપરાંત પરિવાર દ્વારા શત્રુંજી નદી નાહીને યાત્રા કરાવવામાં આવી હતી.ભવિષ્યમાં શ્રી ગિરનારજી તીર્થની યાત્રા કરાવવાનું પ્રયોજન છે.

યાત્રાળુ તથા લાભાર્થી બહુમાન